વિદ્યાર્થીઓ દ્ધારા નહીં નફા નહીં નુકશાનથી શાળામાં વિદ્યાર્થી વસ્તુ ભંડાર ચલાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસને લગતી સામગ્રી બજાર ભાવ કરતા ઓછા ભાવે આપવામાં આવે છે. જેનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્ધારા કરવામાં આવે છે.
શાળાના વિદ્યાર્થીઓ પ્રકૃતિથી પરિચિત થાય, તે ઓમાં એકતા કેળવાય, તાજગીભર્યા અને સ્વચ્છ રમણીય વાતાવરણનો લાભ મેળવે તથા સાથે સાથે રતમ ગમત, મોજ મસ્તીથી વનભોજનનો લાભ મેળવે તે હેતુસર વર્ષમાં એકવાર શાળાએથી બે-ત્રણ કિમીના અંતરે વનભોજનનું આયોજન કરવામાં આવે છે.
બાળકના સર્વાંગી વિકાસ માટે તેમના જીવન ઘડતર માટે જો મા પછી બીજુ કોઈ સ્થાન હોય તો શિક્ષકનું છે. શિક્ષણ ભાવિ પેઢીનો ધડવૈયો છે. આવા શિક્ષક જયારે કોઈ અસાધ્ય રોગ જેવા કે કેન્સર, ટી.બી...... ના ભોગ બનતા હોય છે ત્યારે આવા શિક્ષકોની આર્થિક સહાય કરવી આપણી ફરજ થઈ પડે છે. તો શિક્ષક દિનના દિવસે આવા શિક્ષકો
પજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો પણ સમાજનું એક અંગ છે. જો તેમને શિક્ષણ, તાલીમ અને રોજગારીની તક આપવામાં ઓવ તો તેઓ પણ કુટુંબ અને સમાજના ઉપયોગી અને જવાબદાર નાગરિક બની શકે તે હેતુથી રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થા દ્ધારા અંધજનોના લાભાર્થે અને ખર્ચને પહોંચી વળવા ફાળો ઊઘરાવવામાં આવે છે.
આપણી માતૃભૂમિના રક્ષણ માટે શહીદ થયેલ કે ક્ષતિગ્રસ્ત થયેલ વીર સૈનિકોનું આદર સન્માન કરવાનો તથા સેવારત અને સેવા નિવૃત્ત સૈનિકોનું દિન અને સશસ્ત્ર દળોના ધ્વજદિન તરીકે ઉજવવામાં આવે છે. તથા ફાળો ઊઘરાવવામાં આવે છે.