Shree Baliyadev Highschool,Por
Shree Baliyadev Highschool Por | Rules

નિતિ નિયમો

શાળામાં પ્રવેશ મેળવવા માટેની પ્રકિયાની માહિતી

શ્રી બળિયાદેવ કેળવણી મંડળ સંચાલિત શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોર ગ્રામ્ય વિસ્તારની શાળા છે.

પોર ગામની આજુબાજુના ૫ કિ.મી.ની ત્રિજયામાં આવેલ વિદ્યાર્થીઓ અહિ માધ્યમિક શિક્ષણ માટે આવે છે.સંખ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખી પ્રથમ પોર ગામના સ્થાનિક પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવે છે.

ત્યાર બાદ પોરથી નજીક આવતા ગામોની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

આ સમગ્ર વિસ્તારની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લીધા પછી જગ્યા હોય તો બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

ફી ની માહિતી

  પ્રાથમિક માધ્યમિક
પ્રવેશ ફી       ૨૫=૦૦ રૂ.
શિક્ષણ ફી       ૨૫=૦૦ રૂ.
સત્ર ફી       ૨૫=૦૦ રૂ
પ્રકટીકલ ફી - -
વાહનની ફી - -
નાસ્તા ફી - -
અન્ય ફી -    ૪૫૦=૦૦ રૂ. 
કોમ્પ્યુટર ફી -     ૨૨૫=૦૦ રૂ.

વેકેશનની માહિતી

ઉનાળા વેકેશન તારીખ તારીખથી તારીખ સુધી
ધોરણ - ૮ થી ૧૦ ૧૦-૦૫-૨૦૧૦ ૧૩-૦૬-૨૦૧૦
ધોરણ - ૮ થી ૧૦ ૧૪-૦૬-૨૦૧૦ ૧૪-૦૬-૨૦૧૦
દશેરાની રજાઓ    
દિવાળી વેકેશન    
ધોરણ - ૮ થી ૧૦ ૧૫-૧૦-૨૦૦૯ ૦૪-૧૧-૨૦૦૯

ફી સ્વીકારવાના નિયમો

પ્રવેશ ફી    :- એડમીશન વખતે એક જ સમયે ભરવીની રહેશે.

સત્ર ફી       :- વર્ષમાં બે વખત સત્રની શરૂવાતમાં ભરવાની રહેશે.

શિક્ષણ ફી   :- ધોરણ - ૮ અને ધોરણ - ૯ માં રીપીટર વિદ્યાર્થીઓએ દર માસે ભરવાની રહેશે.

કોમ્પ્યુટર ફી :- વર્ષમાં બે વખત સત્રની શરૂઆતમાં ( રૂ. ૨૨૫ = ૦૦ લેખે) ભરવાની રહેશે.

  • કોઈ પણ વિદ્યાર્થીની ફી બાકી હશે તો તેને પરીક્ષા આપવાની મંજૂરી મળશે નહી. તથા આગલા ધોરણમાં જઈ શકશે નહી.
  • ઉપર જણાવ્યા મુજબની ફી મહિનાઓથી  ૧૫ તારીખ સુધીમાં ભરી દેવી નહિતર મહિનાના અંતિમ દિવસથી દંડ વસુલ કરવામાં આવશે.

શાળાના નિયમો

  • વિદ્યાર્થીઓની હાજરી ૧૦૦% સરકારી નિયમ પ્રમાણે જોઈશે. માટે વાલીમિત્રો સહકાર આપી આપનું બાળક એક પણ દિવસ રજા ના પાડે તેની જવાબદારી આપની છે.
  • સામાજીક પ્રસંગો જેવા કે ધરના લગ્ન, સીમંત, બાબરી, વાસ્તુ પૂજન.....માં શાળાના આચાર્યશ્રીને અવશ્ય જાણ કરી અગાઉથી રજાની મંજૂરી લેવી તથા આકસ્મિક સંજોગો જેવા કે મૃત્ય, ખાસ માંદગીના સંજોગોમાં બીજા દિવસે શાળાના આચાર્યશ્રીને અવશ્ય જાણ કરવી. ગેરહાજરી વિદ્યાર્થીએ શા માટે ગેરહાજરી છે તેનો પૂરાવો રજૂ કરવાનો હોવાર્થી તે રજૂ કરશો.
  • સતત ત્રણ દિવસ કોઈ પણ જાતની શાળાને જાણ કર્યા સિવાય ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનું નામ શાળાના દફતરેથી સરકારી ધારાધોરણ મુજબ આપો આપ કમી થાય છે તેની વાલીમિત્રોએ નોંધ રાખવી.
  • ન્યુ એસ. એસ.સી./એચ.એસ.સી. ની જાહેર પરીક્ષામાં બેસવા માટે નિયમ મુજબ માર્ચ મહિના સુધી પુરી હાજરી હશે તો જ બોર્ડ દ્ધારા ફોર્મ સ્વીકાર્ય રહે છે. તો આપશ્રી વાલીમિત્રો આપનું બાળક શાળામાં નિયમિત રહે તેની કાળજી રાખશો.
  • વાલીશ્રી આપનું બાળક શાળામાં તાસ પ્રમાણે પુસ્તકો, નોટબુકસ અને જરૂરી શૈક્ષણિક સામાગ્રી લઈ જાય છે કે નહી તેની કાળજી રાખશો.
  • શાળા હંમેશા શિસ્તની આગ્રહી રહી છે તો વાલીમિત્રો આપના બાળક દ્ધારા શાળામાં શિસ્તનો ભંગ ના થાય અને શાળાના યશ - કીર્તિમાં ઝાંખપ ના આવે તેની કાળજી રાખવા આપ સહકાર આપશો.
  • વાલીમિત્રો આખા શૈક્ષણિક વર્ષ દરમ્યાન આપનું બાળક બરાબર અભ્યાસ કરે છે કે નહિ તેની કાળજી  રાખવી અને  પરીક્ષા સમયે આપના બાળક દ્ધારા કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક ના થાય તેની ખાસ કાળજી રાખવા આપવા પ્રયત્નશીલ રહેશો.
  • વિદ્યાર્થીઓમાં સમાનતા અને સ્વચ્છતાના ગુણો કેળવાય તે હેતુસર વાલીમિત્રો આપનું બાળક શાળામાં દરરોજ સ્વચ્છ ગણવેશમાં આવે તેની કાળજી રાખવા વિનંતી છે.
  • બુધવારે વિદ્યાર્થીઓને ગણવેશ માટે મુક્તિદિન રહેશે.
  • દરેક વિદ્યાર્થીએ શરીર તેમજ કપડાંની સ્વચ્છતા જાળવવી. ચેપીરોગોથી પીડાતા વિદ્યાર્થીને શાળામાંથી મુર્કિત આપવામાં આવશે. પરંતુ તે અંગે વાલીએ શાળામાંથી મંજુરી લેવાની રહેશે.
  • બાળકના વાલી અથવા મુલાકતીઓએ શિક્ષક અથવા બાળકને મળવું હોય અથવા શાળાના ઉપયોગી થઈ શકે તેવું કોઈપણ કામ હોય તે સૌપ્રથમ શાળામાં આચાર્યશ્રી ને મળી તેમની પરવાનગી અવશ્ય લેવી.
  •  વિદ્યાર્થીમિત્રો વિશ્રાંતિના સમયે, ઘરે જતી વખતે વર્ગ અથવા ક્રીડાંગણ છોડતી વખતે ઘોંધાટના થાય તેની કાળજી રાખવી.
  • આચાર્યશ્રી, મહેમાનશ્રી, શિક્ષકગણ કે કોઈપણ વડીલ વ્યકિત વર્ગમાં દાખલ થાય ત્યારે વિદ્યાર્થીઓએ ઉભા થઈ નમસ્તે કહી તેઓને સન્માનિત કરવા.
  • શિક્ષકની પરવાનગી વિના વિદ્યાર્થીઓ એ વર્ગમાં દાખલ થવું નહિ કે વર્ગ છોડવો જોઈએ નહિ.
  • શાળાની નજીકથી આવતા વિદ્યાર્થીએ સાઈકલ લઈને આવવાનો આગ્રહ રાખવો નહિ.
  • સાઈકલને તાળું મારેલું નહિ હોય અને સાઈકલ ખોવાઈ જશે તો તેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
  • ઉપરોકત નિયમો સિવાય બીજા જે નિયમો વધારવામાં કે સુધારવામાં આવે તે વિદ્યાર્થી તેમજ વાલી માટે બંધનકર્તા રહેશે.

ફી ભરવાનો સમય

શાળા સમય દરમ્યાન રહેશે.

ઉનાળાના :-   ૧0-૪૦  થી  ૪-૪૫

શિયાળા :-     ૧૦-૪૦થી  ૪-૪૫

શાળાનો ગણવેશ

માધ્યમિક શાળાનો ગણવેશ વિદ્યાર્થીઓ માટે:-
પેન્ટ:કથ્થઈ કલર
શર્ટ:ક્રીમ કલર
ટાઈ:કથ્થઈ/ ક્રીમ કલર
મોજા:કથ્થઈ બુટ કાળા
વિદ્યાર્થીનીઓ માટે:-
પીના:કથ્થઈ કલર
શર્ટ:ક્રીમ કલર
ટાઈ:કથ્થઈ/ ક્રીમ કલર
મોજા:કથ્થઈ
મોજડી:કાળી